ધાનેરાની ન્યુ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલના એમ.ઓ.યુ. થયા કેન્સલ


 ધાનેરામાં ડો. દેવાભાઈ ચૌધરી  પોતાની હોસ્પિટલમાં એટલે કે ન્યુ લાઈફ ચિલ્ડન હોસ્પિટલમાં બાલ સખા ૩ની યોજના ચલાવતા હતા. જે સરકારી યોજના થકી દર્દીઓનો મફત સારવાર આપવાની હતી અને તેના બિલો બાલસખા ૩ યોજના અંતર્ગત સરકાર ચુકવતી હોય છે. પણ આ હોસ્પિટલમાં પૈસાના લાલચુ એવા ર્ડા દેવાભાઈ મિસ યુઝ કરતા હતા એટલે કે દર્દીથી એડવાન્સ રૂપિયા લેતા હતા. જે બાબતની ધાખા ગામના દર્દીએ ધાનેરા ટી.એચ.ઓ.ને લેખિત રજૂઆત કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં ડો. દેવાભાઈએ દર્દી જોડે એડવાન્સમાં રૂપિયા લીધા હોવાનું ખુલતા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સરકારી યોજનાનો લાભ આપવાના બદલે રૂપિયા કમાવવાની યોજના માનતા ડો દેવાભાઈ સાથેના બાલ સખા ૩ના એમ.ઓ.યુ કેન્સલ કરવામાં આવતા સમગ્ર ધાનેરાના ડોકટર આલમમાં ચકચાર મચી જવા પામી છે. ડોકટરે ભગવાનનું સ્વરૂપ હોય છે પણ અહીંયા તો ભગવાન પણ કમાવવા માટે હાટડી ખોલી હોય એવું લાગી રહ્યુ છે. બાળક ભગવાન સ્વરૂપ હોય છે બાળકમાં ભગવાનનો વાસ હોય છે પણ આ દેવાભાઈએ તો ભગવાનની સારવારમાં પણ ગેરરીતિ આચરતા બાલ સખા ૩ના એમ.ઓ.યુ. કેન્સલ કરવામાં આવ્યા છે.